Srinagarના Lal Chowkથી ભવ્ય ત્રિરંગા યાત્રામાં 700 બાઇક સવારોએ ભાગ લીધો
અનુચ્છેદ 370 નાબૂદ કર્યા પછી, શ્રીનગરનું (Srinagar) લેન્ડસ્કેપ બદલાયું હોય તેવું લાગે છે, કારગિલ વિજય દિવસ પર અહીં જોવા મળેલો નજારો દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ બની ગયો છે.
જમ્મુ-કાશ્મીરમાંથી (JK) અનુચ્છેદ 370 હટાવ્યા બાદ શ્રીનગરનો (Srinagar) માહોલ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે, કારગિલ વિજય દિવસ પર અહીં જોવા મળેલો નજારો દેશવાસીઓ માટે ગર્વની ક્ષણ બની ગયો છે. એક-બે નહીં પરંતુ 700 બાઇક સવારોએ શ્રીનગરના લાલ ચોકથી (Lal Chowk)ભવ્ય ત્રિરંગા યાત્રા કાઢી હતી. તરુણ ચુગ, તેજસ્વી સૂર્યા અને રવિન્દ્ર રૈના જેવા નેતાઓ આમાં સામેલ હતા. બાઇક રેલી દરમિયાન યુવાનોનો ઉત્સાહ જોવા લાયક હતો. લાલ ચોકથી આ ત્રિરંગા કૂચ કારગીલ વોર મેમોરિયલ સુધી ગઈ હતી. અહીં સૌએ દેશની રક્ષા કરતા બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Published on: Jul 28, 2022 08:55 PM
Follow Us
Latest Videos
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
