Ahmedabad Plane Crash: “ખબર હતી કે બલુન ડગે છે એટલે બલુન પડવાનું!”, પ્રત્યક્ષદર્શીએ 33 વર્ષમાં જોઇ બીજી આવી ઘટના

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનનો અકસ્માત એક એવો અકસ્માત હતો જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો.હવે આ ઘટનાને લઇને લોકોના નિવેદનો આવી રહ્યા છે.

| Edited By: | Updated on: Jun 14, 2025 | 1:58 PM

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનનો અકસ્માત એક એવો અકસ્માત હતો જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો.હવે આ ઘટનાને લઇને લોકોના નિવેદનો આવી રહ્યા છે, ઘટનાને નજરે જોનારા લક્ષ્મિનગરના રહેવાસી કૈલાશ ઠાકોર જણાવે છે કે તેમણે આ ઘટના ખુબ મોટી હતી,33 વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી.

કૈલાશબેને જણાવ્યુ કે તેઓ વર્ષોથી આ જ વિસ્તારમાં રહે છે. તેમણે કહ્યું કે “પ્લેન ડગતું જોયું ત્યારે જ ખ્યાલ આવ્યો કે તુટી પડશે” તેમણે એમ પણ કહ્યુ કે જો પ્લેન થોડુ આગળ જઇને પડ્યું હોત તો, અમારી આખી વસ્તી બળીને ખાક થઇ જાત.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Published On - 1:32 pm, Sat, 14 June 25