કોરોનાના હોટસ્પોટ મહારાષ્ટ્રમાં 1 જૂનથી તબક્કાવાર ખુલશે લોકડાઉન, જાણો તમામ વિગત

Maharashtra Lockdown : મહારાષ્ટ્ર રાજ્યમાં ચાર તબક્કામાં ખુલશે લોકડાઉન. પહેલા તબક્કામાં ફક્ત દુકાનો ખુલશે. છેલ્લા તબક્કામાં લોકલ ટ્રેન શરૂ થશે.

Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 24, 2021 | 10:26 PM

મહારાષ્ટ્રમાં એક સ્ટ્રોકમાં લોકડાઉન દૂર કરવાને બદલે, ચાર તબક્કામાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારએ અનલોકની ગાઈડલાઇન્સ બનાવાનું કામ ચાલુ કરી દિધુ છે, જેની સત્તાવાર જાહેરાત જલ્દી કરવામાં આવશે. પણ અહીં એક વાત નક્કી છે કે ચોથા તબક્કા પહેલા મુંબઇની લાઇફ લાઈન એટલે કે લોકલ ટ્રેન શરૂ થાય તેવી કોઈ સંભાવના નથી.


તબક્કાવાર અનલોક

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાને કારણે હવે સરકાર અનલોકની પ્રક્રીયા શરુ કરવા પર કામ કરી રહી છે. પરંતુ પહેલાના અનુભવને ધ્યાનમાં રાખીને, એક વાત ચોક્કસ છે કે ઠાકરે સરકાર આ વખતે કોઈ ઉતાવળ નહીં કરે. આ જ કારણ છે કે રાજ્યમાં લોકડાઉન એક સ્ટ્રોકમાં દૂર કરવાને બદલે ચાર તબક્કામાં દૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે ઠાકરે સરકાર 1 જૂનથી લોકડાઉન હટાવવાની શરૂઆત કરશે. પ્રથમ અને બીજા તબક્કામાં દુકાનો ખોલવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોથી દુકાનો બંધ હોવાને કારણે રાજ્યના વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી છે. આને કારણે પ્રથમ અને બીજા તબક્કામાં રાજ્ય સરકાર પહેલા દુકાનો શરૂ કરવાનું કામ કરશે.

ત્રીજા તબક્કામાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, બાર અને દારૂની દુકાનો શરૂ કરી શકાય છે. આ પછી, ચોથા તબક્કામાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને ધાર્મિક સ્થળો શરૂ કરી શકાય છે. એટલે કે, 15 જૂન સુધીમાં, લોકો માટે લોકલ ટ્રેન સેવા શરૂ થવાની કોઈ સંભાવના નથી.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્રએ એક અલગ લોકડાઉન લાદી દીધી છે, પરિસ્થિતિ જોઈને જે તે વિસ્તારોમાં અનલોક પર વિચારણા કરવામાં આવશે. એપ્રીલ મહીનામાં રાજ્યમાં કોરોનાના કેસેસ 70,000 સુધી આવતા હતા, જ્યારે હાલ આ આંકડો ઘટીને લગભગ 30,000 થઈ ગયો છે અને સાથે જ ગ્રોથ રેટ પણ ધીમો થઈ ગયો છે.

 

        દેશની આર્થીક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1057 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 48 લોકોના મોત થયા છે. હાલ મુંબઈમાં કુલ 28086 સક્રીય કેસસ છે.

 

મુંબઈમાં રસીકરણ સંબંધિત મહત્વની માહિતી

દરમિયાન, મુંબઇમાં રસીકરણ વિશે એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે 24 થી 26 મે સુધી, સીધા કેન્દ્રમાં પહોંચનારા લોકો (walk-in) માટે મુંબઇમાં રસીકરણ શરૂ થશે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનારાઓ માટે 27 થી 30 દરમિયાન રસીકરણ શરૂ થશે. જ્યારે રવિવારે રસીકરણ બંધ રાખવામા આવશે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">