Niger News: નાઈજરમાં રહેતા ભારતીયો માટે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, જુઓ Video

|

Aug 12, 2023 | 4:46 PM

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત સરકાર નાઈજરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને જો તેઓ નિયામીની મુસાફરી કરી રહ્યા હોય તો લોકોને તેમની યોજનાઓ પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે.

આફ્રિકન દેશમાં તખ્તાપલટ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે એક એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે નાઈજર છોડવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત સરકાર નાઈજરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને જો તેઓ નિયામીની મુસાફરી કરી રહ્યા હોય તો લોકોને તેમની યોજનાઓ પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: Niger News: નાઈજરમાં વણસી સ્થિતિ, કેન્દ્રએ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા કહ્યું, જાણો સમગ્ર સ્થિતિ

તેમણે કહ્યું કે નાઈજરમાં પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા, ભારતીય નાગરિકો જેમની હાજરી જરૂરી નથી તેમને વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. તમામ ભારતીય નાગરિકોએ નોંધ લેવાની જરૂર છે કે એરસ્પેસ હાલમાં બંધ છે. તેથી જ ભૂમિ સરહદ પરથી પસાર થતી વખતે સુરક્ષા અને સાવધાની રાખવાની જરૂર છે. જેઓ આગામી દિવસોમાં નાઇજરની મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે તેમને પણ સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમની મુસાફરીની યોજના પર ફરીથી વિચાર કરો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video