આજે હોલિકા દહનનો પાવન પર્વ છે.આમ તો હોળીના તહેવારને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય પણ હોળીનું જ્યોતિષની દ્રષ્ટીએ ઘણું મહત્વ છે. આ દિવસે લોકો મનમૂકીને દાન પુણ્ય કરે છે. હિન્દુ ધર્મમાં હોળી અને ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. ધુળેટીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે.
ફાગણ મહિનાના પૂનમની તિથિ પર હોલિકા દહન કરાય છે. ત્યારે હોલિકા દહન ભદ્રા રહિત પ્રદોષયુક્ત પૂનમ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે ભદ્રાની છાયા છે ત્યારે રાત્રીના 11.13 મિનિટથી 12.20 મિનિટ સુધી શુદ્ધ સમય દરમિયાન હોલિકા કરશો તો ઘણો લાભ મળશે.તો આ ઉપરાંત વિષ્ટિના પૂંછ ભાગમાં પણ હોલિકા દહન થઈ શકે છે જે મુજબ સાંજે 6.40 મિનિટથી 7.50 દરમિયાન હોલિકા દહન કરી શકાશે.