ઉત્તરાખંડના કેદારનાથમાં હિમતાંડવ જોવા મળી રહ્યું છે. સતત હિમવર્ષાના કારણે કેદારનાથ મંદિર પરિસરથી લઇને ભૈરવનાથ મંદિર, ધ્યાન ગુફા સહિત સંપૂર્ણ ક્ષેત્ર બરફથી ઢંકાઇ ગયો છે. હેલિકોપ્ટરમાંથી કેદારનાથનો નજારો. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ દેખાઇ રહ્યો છે, જાણે બરફની ત્સુનામી આવી હોય તેમ મંદિર પરિસર હોય કે ઘર તમામ પર બરફની ચાદર છવાઇ ગઇ છે. તમામ રસ્તાઓ અને પુનનિર્માણ કાર્યસ્થળ પણ બરફથી ઢંકાયેલા છે.
આ પણ વાંચો: CM અને DyCM એ રાજ્યમાં રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, 161 કેન્દ્ર પર ચાલી રહ્યું છે રસીકરણ