જલદી-જલદી નોકરી બદલતી વખતે પ્રત્યેક કંપની અલગ સેલેરી એકાઉન્ટ (Salary account) ખોલાવે છે. આવામાં અગાઉની કંપનીના ખાતાને જો બંધ ના કરાવીએ તો તે નિષ્ક્રિય (Inactive) થઈ જાય છે, કારણ ગમે તે હોય પણ જો તમારી પાસે એકથી વધારે બેન્ક ખાતા (Bank account) હોય અને તેનો ઉપયોગ તમે ના કરતા હોવ તો સતર્ક થઈ જજો અને તેને બંધ કરાવી દેજો. આ બાબતમાં કરેલી નાનકડી ભૂલ તમને ભારે નુકસાન કરાવી શકે છે. આ મામલે તમારે સતર્ક થવાની જરૂર છે. આવો સમજીએ કે, વધારે બેન્ક ખાતા રાખવાથી કેટલું નુકસાન થાય છે.
જ્યારે તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (Income tax return) ફાઈલ કરો છો ત્યારે તેમાં તમામ બેન્ક એકાઉન્ટ નંબરની સાથે તેમના IFSC કોડ લખવા જરૂરી છે. સાથે સાથે સમગ્ર નાણાંકીય વર્ષમાં બચત ખાતામાં થયેલી કુલ આવક અને ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ વિગતો આપવી જરૂરી છે.
એટલે કે તમે જેટલા ઓછા બેન્ક એકાઉન્ટ રાખશો, તમારા માટે રિટર્ન ભરવું તેટલું જ સરળ થઈ જશે. આનાથી ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax Department) તરફથી નોટિસ મળવાની કે કોઈ તમારા નિષ્ક્રીય એકાઉન્ટ મારફતે છેતરપિંડી થવાની સંભાવના પણ ઘણી હદ સુધી ઓછી થઈ જશે.
આ પણ વાંચો : Kam-Ni-Vaat: LPG સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબસિડી! ખાતામાં ફટાફટ આવવા લાગ્યા પૈસા, આ રીતે ચેક કરો
આ પણ વાંચો : Kam-Ni-Vaat : જાણો કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી, શું છે તેના લાભ, કેટલી મળે છે લોન
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 2:50 pm, Wed, 6 April 22