Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

|

Jun 18, 2024 | 11:31 PM

પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ હટાવવાનો મામલે તમામ પ્રતિમાઓને પુન:સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રતિમાઓના પુન:સ્થાપન માટે નિષ્ણાંત કારીગરોની મદદ લેવામાં આવી હતી. પાવાગઢ પોલીસ મથકના PSI એમ.એલ.ગોહિલની બદલી કરવામાં આવી છે.

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી નાખવામાં આવી હોવાથી હોબાળો મચી ગયો હતો. આ અંગે સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે મૂર્તિઓ ખસેડવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે આજે એટલે કે મંગળવારના રોજ મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી છે.

પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ હટાવવાનો મામલે તમામ પ્રતિમાઓને પુન:સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રતિમાઓના પુન:સ્થાપન માટે નિષ્ણાંત કારીગરોની મદદ લેવામાં આવી હતી. જિલ્લા ક્લેકટરે આજે મૂર્તિઓ સ્થાપિત કરવાની ખાતરી આપી હતી.

પંચમહાલના પાવાગઢ પોલીસ મથકના PSI એમ.એલ.ગોહિલની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ બદલીનો હુકમ આપ્યો છે. નવા PSI તરીકે રાજદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. તત્કાલિન PSI એમ.એલ.ગોહિલને જાહેર હિતમાં બદલી કરી લીવ રિઝર્વમાં મુકાયા છે.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈ ભક્તો, મંદિરમાં ખાસ હોમ હવનનું આયોજન- Video

Next Video