દેશભરમાં જોવા મળશે સ્વાતંત્ર્ય દિવસનો ઉત્સાહ, 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે તિરંગા ઝુંબેશ ચાલશે
પીએમ મોદીએ (PM MODI) 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગા અભિયાનને મજબૂત બનાવવાની અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) લોકોને આગામી મહિને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ (National flag)ફરકાવીને ત્રિરંગા ઝુંબેશને મજબૂત બનાવવા અપીલ કરી છે. પીએમ મોદીએ તાજેતરમાં જ કરેલા ટ્વીટમાં કહ્યું કે આ અભિયાન ત્રિરંગા સાથે અમારું જોડાણ વધુ ગાઢ બનાવશે. સાથે જ તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે 22 જુલાઈ 1947ના રોજ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, “આજે આપણે એ તમામ લોકોની હિંમત અને પ્રયત્નોને યાદ કરીએ છીએ જેમણે સ્વતંત્ર ભારત માટે ધ્વજનું સ્વપ્ન જોયું હતું જ્યારે આપણે સંસ્થાનવાદી શાસન સામે લડી રહ્યા હતા.” અમે તેમના સપનાઓને સાકાર કરવા અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
