મુંબઈમાં મેઘ અનરાધાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જળાશયોમાં ફેરવાયા જાહેરમાર્ગો, જુઓ વીડિયો

મુખ્યમંત્રીએ (CM Eknath Shinde) જિલ્લા કલેક્ટર અને જળ સંસાધન વિભાગને સતર્ક રહેવા અને જોખમી વિસ્તારના નાગરિકોને સમયસર સૂચના આપવા, સલામત સ્થળ પર લઈ જવા અને જાન-માલનું નુકસાન ન થાય તે માટે યોગ્ય તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 10:22 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ પુરુ થયું ત્યાં હવે મહારાષ્ટ્રમાં આસમાની આફત વરસી રહી છે. મુંબઈમાં શુક્રવારથી વરસાદ ચાલું છે. તેને જોતા સરકારની સાથે BMCએ ઘણા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. BMCની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની સાથે NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓ ચેતવણીના સ્તરે પહોંચી ગઈ છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે.

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને જળ સંસાધન વિભાગને સતર્ક રહેવા અને જોખમી વિસ્તારના નાગરિકોને સમયસર સૂચના આપવા, સલામત સ્થળ પર લઈ જવા અને જાન-માલનું નુકસાન ન થાય તે માટે યોગ્ય તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ચિપલુનની સ્થિતિ પર નજીકથી નજર રાખવા અને વારંવાર સૂચનાઓ આપીને નાગરિકોને ચેતવણી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

મુંબઈ, થાણે, રાયગઢ, ઉત્તર કોંકણના પાલઘરમાં અને દક્ષિણ કોંકણના સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રના પૂણે, નાસિક, નંદુરબારના ઘાટ વિસ્તારો અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રના સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

પ્રાદેશિક હવામાન વિભાગે જણાવ્યું હતું કે માછીમારોએ આગામી ચાર દિવસ સુધી મહારાષ્ટ્ર-ગોવાના કિનારે ન જવું જોઈએ. તેમજ માલવનથી વસઈ બીચ સુધી 3.5 થી 4.8 મીટર ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">