દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો- શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસમાં જોડાવા મુદ્દે સાંભળો TV9ને શું કહ્યુ બાપુએ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જી-21ની મિટિંગમાં હાજર રહ્યા હતા. ત્યારે શંકરસિંહના કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:09 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) જી-21ની મિટિંગમાં હાજર રહ્યા હતા. દિલ્લીમાં ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને જી-21ની મીટિંગ ચાલી, ગાંધી પરિવારની નેતાગીરી સામે જી-21માં નેતાઓ બેઠકો કરી રહ્યા છે. ત્યારે શંકરસિંહના કોંગ્રેસમાં (Congress) પ્રવેશની અટકળો વધુ તેજ થઇ છે. જો કે શંકરસિંહ વાઘેલાએ TV9 સાથેની વાતચીતમાં શુ કહ્યુ તે જાણીએ.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ TV9સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતૃત્વ નહીં પણ તેમના સલાહકારો પર નિશાન તાક્યું. G-23 જૂથના નેતાઓની 3-4 કલાક ચાલેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સારા નેતા છે. G-23 જૂથના એક પણ નેતાને સોનિયા કે રાહુલ ગાંધી સામે સીધો વાંધો નથી. પંજાબ ચૂંટણી પૂર્વે કેપ્ટન અમરિંદર સિંહ જેવા વરિષ્ઠ નેતાને બદલીને યુવા નેતાને કમાન સોંપવી ખોટો નિર્ણય હતો. તે જ રીતે પ્રિયંકા ગાંધી જેવા મોટા ચહેરાને યુપીના મહામંત્રી બનાવવા પણ અયોગ્ય હતા. પ્રિયંકા ગાંધીની રાજકીય કરિયર પર ધબ્બો લગાવવાનું કાર્ય કોંગ્રેસ મોવડીમંડળના સલાહકારોએ કર્યું છે.

શંકરસિંહ વાઘેલાએ જૂની ગુજરાતી કહેવત દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો એવું સૂચક નિવેદન આપ્યું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું રાહુલ ગાંધીએ બધાને મળવાનું અને સાંભળવાનુ શરૂ કર્યું છે. ભાજપ સામે પૂર્વોત્તર, દક્ષિણ ભારત કે ઉત્તર ભારત તમામ સ્થળે લડવા કોંગ્રેસ પાર્ટી લિબરલ અને સેક્યુલર વિચારધારાની જરૂર છે. કોંગ્રેસને સૂચન કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે પાર્ટીએ પોતાની જૂની નીતિ મુજબ જ તમામ વર્ગના મતદારોને સાથે રાખીને આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો-

Kutch : મુન્દ્રા પોર્ટ પરથી DRI એ રૂપિયા 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કર્યું, આવી હતી મોડસ ઓપરેન્ડી

આ પણ વાંચો-

Surat : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ સામે ગંભીર આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">