Gujarati Video: રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાત દરમ્યાન વિજય રૂપાણીનું નિવેદન, કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે
બાગેશ્વર ધામ સમિતિ કાર્યાલયના મુલાકાત દરમ્યાના પૂર્વ CM વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. અને કહ્યું કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે. બાબાના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે.
રાજકોટમાં 1 અને 2 જૂને યોજાવા જઈ રહેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો એકતરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપના નેતાઓ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાતે પહોંચેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રૂપાણીએ કહ્યું કે- કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે. લઘુમતીઓના મત મેળવવા તુષ્ટિકરણ કરે છે.
આ પણ વાંચો : ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત, સ્થાનિકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી કર્યા સૂત્રોચ્ચાર
કોંગ્રેસે હિન્દુ સમાજને નજરઅંદાજ કર્યો છે. તેવું નિવેદન વિજય રૂપણી એ આપ્યું છે. હિન્દુ ધર્મની વાત આવે એટલે કોંગ્રેસ અકળાઈ જાય છે. આ ઉપરાંત વિજય રૂપાણીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને સફળ બનાવવાની વાત પણ કરી છે. આજે બાબા બાગેશ્વર અમદાવાદ ખાતે પહોંચી એક કાર્યક્ર્મમાં હાજરી આપી તેઓ સુરત પહોંચ્યા હતા. જોકે સુરતમાં પણ યોજાનાર બાબા બાગેશ્વરના કાર્યક્ર્મને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્ર્મને લઈને પણ તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. જેની સમીક્ષા વિજય રૂપણીએ કરી હતી. અને કોંગ્રેસનાં બોળેલા શબ્દો ઉપર વળતાં જવાબો આપ્યા હતા.
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
