Video: જામનગરમાં ફુટપાથ પર રહેતા લોકો માટે કરાઈ રેનબસેરાની વ્યવસ્થા, રહેવા જમવા સહિતની તમામ સગવડ ઉપલબ્ધ

Jamnagar: આકરી ઠંડીને ધ્યાને રાખી ફુટપાથ પર રહેતા લોકો માટે મનપા દ્વારા રેનબસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રહેવા, જમવા સહિતની તમામ સગવડ ઉપલબ્ધ છે. હાલ આ રેનબસેરામાં 40 લોકો આશ્રય લઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:36 PM

જામનગરમાં કરોડોના ખર્ચે તૈયાર કરેલા રેન બસેરા આકરી ઠંડીમાં લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે. બેડેશ્વરમાં 1 કરોડ 61 લાખના ખર્ચે તૈયાર થયેલા હાઈટેક રેન બસેરામાં મહિલા અને પુરૂષના અલગ ટોઈલેટ, બાથરૂમ છે તો નહાવા માટે ગરમ પાણી, સીસીટીવી કેમેરા અને 24 કલાક સુરક્ષાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ રેનબસેરામાં જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે ભોજન પણ પુરૂ પાડવામાં આવે છે.

જામનગરના વહીવટી તંત્રએ શરૂ કરેલા રેન બસેરામાં 40 લોકો હાલમાં વસવાટ કરી રહ્યા છે. અહીં વધુ જગ્યા ઉપલબ્ધ છે. જેથી તંત્રએ આકરી ઠંડીમાં ખુલ્લામાં રહેતા લોકોને રેન બસેરામાં રહેવા આવવા અપીલ કરી. ફૂટપાથ પર રહેતા લોકો વધુ સંખ્યામાં રેન બસેરામાં આવે તે માટે સ્વયંસેવી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Video : જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મ દિનની ઉજવણી સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

ડેપ્યુટી કાર્યપાલક ઈજનેર અશોક જોષીના જણાવ્યા મુજબ આકરી ઠંડીને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે જામનગર મહાનગરપાલિકા દ્વારા બેડી ઓવરબ્રિજ પાસે નવુ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યુ છે. તેમાં પણ 20 લોકો આશ્રય લઈ રહ્યા છે. આ જ રીતે હાપા વિસ્તારમાં પણ 40 લોકો નિયમિત આશ્રય લઈ રહ્યા છે. આ બંને શેલ્ટર હોમમાં રહેવાની, જમવાની, ન્હાવા માટે ગરમ પાણી સહિત તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

જામનગરમાં વેદેશ્વર ખાતે 1.61 કરોડના ખર્ચે રેનબસેરા તૈયાર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે આકરી ઠંડી વચ્ચે ફુટપાથ પર રહેતા લોકો મોટા પ્રમાણમાં રેનબસેરા ખાતે પહોંચે અને તેની સુવિધાનો લાભ લે.

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">