વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જુઓ

|

Feb 21, 2024 | 3:05 PM

તરભ વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાત દિવસના મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને દર્શનનો લાભ લીધો છે. 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગુરુવારે થનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. અત્યાર સુધીમાં તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓ પાંચ દિવસમાં દર્શનનો લાભ લઈ ચુક્યા છે.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

બુધવારે એટલે કે છઠ્ઠા દીવસે ત્રણ લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવાની શક્યતાઓ છે. જ્યારે અંતિમ દિવસે આ સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. આ સંખ્યાની સંભાવનાઓને લઈ અંતિમ દિવસોની તૈયારીઓ કરવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતાઓ ના પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:04 pm, Wed, 21 February 24

Next Video