VADODARA : નવા યાર્ડ અને નિઝામપુરામાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો, ઘરેઘરે બિમારીના ખાટલા

શહેરના વોર્ડ નંબર એટલે કે નવાયાર્ડ અને નિઝામપુરા વિસ્તારમાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીં ઘરેઘરે બિમારીના ખાટલા ખડકાયા છે. બિન સત્તાવાર વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 રહીશોના મોત પણ નિપજ્યાના સમાચાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:13 PM

VADODARA : મનપાનું તંત્ર શહેરીજનોને સ્વચ્છ પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ સાબિત થયું છે. શહેરના વોર્ડ નંબર એટલે કે નવાયાર્ડ અને નિઝામપુરા વિસ્તારમાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીં ઘરેઘરે બિમારીના ખાટલા ખડકાયા છે. બિન સત્તાવાર વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 રહીશોના મોત પણ નિપજ્યાના સમાચાર છે. પરંતુ વડોદરા મનપા તંત્રના પેટનું પાણી નથી હલ્યું. સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાની પાણીની લાઇનમાં દુષિત પાણી ભળી જવાથી રોગચાળો વકર્યો છે. કોલેરા, ઝાડા-ઉલટીના રોગથી નાગરિકો પરેશાન છે.સ્થાનિકોની ફરિયાદ છે કે સ્વચ્છ દેખાતું પાણીમાં દુર્ગંધ મારે છે.

એક તરફ વાડી, નિઝામપુરા, નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં બિમારીએ ઘર કર્યું છે.અને ઘરેઘરે બિમારીના ખાટલા ખડકાયા છે. તો બીજી તરફ મનપાના અધિકારીઓ ઉંધી વાત કરી રહ્યા છે.પાણી પુરવઠા વિભાગના અધિકારીનું માનવું છે કે ગેરકાયદે નળ જોડાણના કારણે દુષિત પાણીની સ્થિતિ સર્જાઇ હતી. જોકે હવે પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે પાછલા દોઢ વર્ષથી વડોદરામાં દુષિત પાણીની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. ગાયકવાડી સમયની જૂની પાણીની લાઇન ખરાબ થવાની શહેરમાં છાશવારે દુષિત પાણીની સમસ્યા સર્જાય છે.ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે જરૂરી છે.

 

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">