રાજ્યમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ હેઠળ રસીકરણની કામગીરી થશે ઝડપી, લોકોને ઘરે બેઠા રસી અપાય તેવા સરકારના પ્રયાસ

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે કેબિનેટમાં રસીકરણ અને નિરામય યોજના અંગે થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં થયેલા રસીકરણ અને રસીકરણને લઇને આગામી સમયમાં યોજવાના કાર્યક્રમ અંગે જાણકારી આપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 6:57 PM

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Jitu Waghani)એ રાજ્યમાં રસીકરણ(Vaccination)ની કામગીરી અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યુ છે કે આરોગ્ય વિભાગ(Department of Health)ની અલગ અલગ ટીમોએ બીજો ડોઝ બાકી હોય તેવા 65 લાખ લોકોમાંથી 55 લાખ લોકોને શોધીને તેમને રસી આપી છે. તેમજ આગામી સમયમાં પણ ઘરે ઘરે જઈને લોકોનું રસીકરણ કરવાનો કાર્યક્રમ બનાવાયો હોવાની જાણકારી આપી.

 

જીતુ વાઘાણીએ આજે કેબિનેટ બેઠકમાં રસીકરણ અને નિરામય યોજના અંગે થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં થયેલા રસીકરણ અને રસીકરણને લઈને આગામી સમયમાં યોજવાના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

 

 

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે આરોગ્ય વિભાગ સરાહનીય કામગીરી કરી રહ્યુ છે. સાથે જ જણાવ્યુ કે મહેસાણાના 25 ગામમાં ઘરે ઘરે ટીમે પહોંચીને 1,200 લોકોને રસીનો બીજો ડોઝ આપ્યો છે. રાજ્યની જનતાના સહકારથી આ પરિણામ પ્રાપ્ત થયુ હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ.

 

 

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે સમગ્ર રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી 75માં અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટીમ બનાવાશે. જે રોજના 75 ગામમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ અંતર્ગત રસીકરણની કામગીરી કરશે. આગામી 15 દિવસમાં જ રસીકરણની આ કામગીરી પૂર્ણ કરવાનું સરકારે આયોજન બનાવ્યુ છે. જીતુ વાઘાણીએ નિરામય યોજના અંગે કેબિનેટમાં ચર્ચા થઈ હોવાનું જણાવ્યુ હતુ, તેમણે જણાવ્યુ હતુ દરેક લોકોને હવે ઘરે બેઠા રસી અપાય તેવા સરકાર પ્રયાસ કરી રહી છે.

 

આ પણ વાંચોઃ Maharashtra Violence : રઝા એકેડમીની ઓફિસ પર પોલીસના દરોડા, ધારાસભ્ય મુફ્તીએ કર્યો ચોંકાવનારો દાવો

 

આ પણ વાંચોઃ Startup Challenge 2021: IIT મંડી આપી રહ્યું છે 50 લાખ અને અનેક ઈનામો જીતવાની તક, આ રીતે કરો રજિસ્ટ્રેશન

 

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">