ગુજરાતભરમાં નાની વયે હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તો આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ તાજેતરમાં ICMRના તારણને ટાંકીને હાર્ટ એટેકના વધતા કેસો પાછળ કોરોના જવાબદાર હોવાનું જણાવ્યું. પરંતુ ગુજરાતના નિષ્ણાત તબીબોએ કોરોના અને હાર્ટ એટેક વચ્ચે કોઇ સંબંધ ન હોવાનો દાવો કર્યો છે.
આ કારણે ફરી સવાલ ઉઠ્યો છે કે આખરે નાની વયે કેમ આવે છે એટેક ? અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા વિશેષ સેમિનાર યોજાયો. જેમાં યુ.એન. મહેતાના નિષ્ણાત તબીબોની કમિટીએ ગત વર્ષના આંકડાઓ સાથે સરવે તેમજ રિસર્ચના આંકડાઓ રજૂ કર્યા.
આ પણ વાંચો : અમદાવાદના માધુપુરામાં તસ્કરોએ 10.32 લાખની આચરી ચોરી, બુકાનીધારી બે શખ્શો CCTVમાં કેદ
જે દરમિયાન તેમણે કોરોનાને કારણે હાર્ટ એટેક આવતો હોવાના તારણને અયોગ્ય ગણાવ્યું. તો નવરાત્રિમાં પણ હાર્ટ એટેકના રૂટિનથી વધુ કેસો કે દર્દીઓ હોસ્પિટલ ન આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.
Published On - 8:09 pm, Sat, 4 November 23