
AI અને આધ્યાત્મ, અખંડ આધાર TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદની જો વાત કરીએ તો.સુધાંશુ ત્રિવેદીએ TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં તર્કના તીર, તીવ્ર પ્રહાર,AI અને આધ્યાત્મ, અખંડ આધારઆધુનિક ટેકનોલોજી, સિદ્ધાંતો પ્રાચીન,ભૂતકાળનું જ્ઞાન સહિતના વિષયો તેમજ ભવિષ્યની ચાવી, દુનિયાભરના દેશોમાં ભારતનો પ્રભાવ વિશે વાત કરી હતી.
તમને જણાવી દઈએ કે, સુધાંશુ ત્રિવેદી ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેમણે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના માહિતી સલાહકાર અને ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહના રાજકીય સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. 2014ની ભારતીય સામાન્ય ચૂંટણી દરમિયાન, તેઓ ભાજપની મીડિયા ટીમના સભ્યોમાંના એક હતા. તેમણે 2014ની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુધાંશુ ત્રિવેદીએ સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી અને અમિત શાહ માટે પણ પ્રચાર કર્યો છે. તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની સામુહિક જવાબદારી સોંપવામાં આવી હતી.
સુધાંશુ ત્રિવેદીનો જન્મ 20 ઓક્ટોબર, 1970 ના રોજ લખનૌમાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને ડૉ. એ.પી.જે. યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી અને મહાત્મા ગાંધી ચિત્રકૂટ ગ્રામોદય યુનિવર્સિટી (સુધાંશુ ત્રિવેદી ભૂતપૂર્વ પ્રોફેસર) સહિત અનેક યુનિવર્સિટીઓના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગોમાં ફેકલ્ટી સભ્ય હતા.