ઝેરી દારૂકાંડ : ગૃહવિભાગની મોટી કાર્યવાહી,બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી, DYSP સહિત આઠ ઓફિસર સસપેન્ડ

|

Jul 28, 2022 | 12:47 PM

બોટાદ DYSP એસ કે.ત્રિવેદી અને ધોળકા DYSP એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તો બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા વિરૂદ્ધ પણ સસ્પેન્શનના પગલાં લેવાયા છે.

બરવાળા ઝેરી દારૂકાંડમાં (Barvala hooch tragedy) ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે.બોટાદના એસપી કરણરાજ વાઘેલા (Botad SP Karanraj vaghela) અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની (SP Virendra Yadav) બદલી કરવામાં આવી છે.જ્યારે બોટાદના DySP એસ.કે.ત્રિવેદી અને ધોળકાના DySP એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા છે.તે જ રીતે બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજા વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

બોટાદ ઝેરી દારૂકાંડમાં (Boatd hooch tragedy) અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh sanghavi) કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં (Fast track court) કેસ ચલાવાશે.અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે.તો રોજીદ ગામના (rojid village) સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

Published On - 11:37 am, Thu, 28 July 22

Next Video