Gujarat Video: આલ્કોહોલયુક્ત સીરપના મામલે અમદાવાદના એક સહિત 3 આરોપીઓની ધરપકડ

|

Aug 06, 2023 | 9:13 PM

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાનો એક આરોપી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતો હતો. ખોટા જીએસટી નંબરના દસ્તાવેજો તૈયાર કરીને આ સીરપનો જથ્થો રાજ્યના અનેક જિલ્લાઓમાં પહોંચાડવામાં આવતો હતો.

 

અમદાવાદના ચાંગોદરમાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપની ફેક્ટરીને સીલ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દેવભૂમિ દ્વારકાની એલસીબી ટીમ દ્વારા ખંભાળીયા નજીકથી એક ટેમ્પોમાંથી આયુર્વેદીક સીરપની 4 હજાર બોટલનો જથ્થો ઝડપ્યો હતો. જેની તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાનો એક આરોપી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતો હતો. ખોટા જીએસટી નંબરના દસ્તાવેજો તૈયાર કરીને આ સીરપનો જથ્થો રાજ્યના અનેક જિલ્લાઓમાં પહોંચાડવામાં આવતો હતો.

દેવભૂમિ દ્વારકાના એસપીએ મીડિયા સમક્ષ સમગ્ર વિગતો જાહેર કરતા બતાવ્યુ હતુ કે, આ એક સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ સીરપ છે અને જેને અમદાવાદ નજીકના ચાંગોદરમાં બનાવવામાં આવતી હતી. પોલીસે વધુ આ પ્રકારનો જથ્થો ચાંગોદરથી ઝડપ્યો છે અને ફેક્ટરીને સીલ કરી છે. ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઈને તેમને કોર્ટમાં રજૂ કરાતા 4 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ  સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:12 pm, Sun, 6 August 23

Next Video