ભાવનગર- અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત, 4 ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

|

Apr 14, 2024 | 10:18 AM

આજે ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે.  અકસ્માતમાં ત્રણનાં મોત નિપજ્યાં છે.  સનેસ ગામે અજાણ્યા વાહને સાત યાત્રાળુઓને અડફેટે લીધા બાદમાં કાર ચાલક ફરાર થઈ ગયો છે. ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ખોડિયાર મંદિર જઈ રહ્યો હતો.

ભાવનગર : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે.  અકસ્માતમાં ત્રણનાં મોત નિજ્યાં છે.  સનેસ ગામે અજાણ્યા વાહને સાત યાત્રાળુઓને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે.

ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ખોડિયાર મંદિર જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત થયા છે. તેમજ અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુનો સમાવેશ થયો છે. એક જ પરિવારના 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોના તાત્કાલિક ધોરણે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video