સુરેન્દ્રનગરના વઢવાણની ઓળખ સમો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ ધરાશાયી થયો છે. આ ગઢની જાળવણી માટે ગ્રાન્ટની ફાળવણી થતી હોવા છતા ગઢનું સમારકામ ન થતુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સમારકામ ન કરાતા રાજાશાહી સમયનો આ ગઢ જર્જરીત બન્યો હતો. પુરાતત્ત્વ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અવારનવાર તંત્ર તેનુ યોગ્ય સમારકામ કરે તેવી માગ ઉઠાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રને એકમાત્ર રાજાશાહી સમયનો સુરક્ષિત ગણાતો ગઢ પણ તંત્રની બેદરકારીના કારણે ધબાય નમ: થયો છે. ગઢ ધરાશાયી થતા નજીકના કેબિનધારકને પણ નુકસાન થયુ છે. હાલ નગરપાલિકાના અધિકારીઓએ વઢવાણમાં ધામા નાખ્યા છે અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખે સર્વેની કામગીરી હાથ ધરી છે. ગઢ પર દબાણકર્તાઓને નોટિસ આપી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.
Input Credit- Sajid Belim- Surendra Nagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો