Surendra Nagar: વઢવાણનો રાજાશાહી સમયનો 1400 વર્ષ જૂનો ગઢ થયો ધરાશાયી- જુઓ Video

|

Jul 04, 2024 | 6:08 PM

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલો રાજાશાહી સમયનો ઐતિહાસિક ગઢ ધરાશાયી થયો છે. 1400 વર્ષ જૂનો અને સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો આ ગઢ તૂટી પડ્યો છે. ગઢ ધરાશાયી થયા બાદ હવે નગરપાલિકા તંત્રના અધિકારીઓ વઢવાણ દોડી આવ્યા છે.

સુરેન્દ્રનગરના વઢવાણની ઓળખ સમો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ ધરાશાયી થયો છે. આ ગઢની જાળવણી માટે ગ્રાન્ટની ફાળવણી થતી હોવા છતા ગઢનું સમારકામ ન થતુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સમારકામ ન કરાતા રાજાશાહી સમયનો આ ગઢ જર્જરીત બન્યો હતો. પુરાતત્ત્વ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અવારનવાર તંત્ર તેનુ યોગ્ય સમારકામ કરે તેવી માગ ઉઠાવવામાં આવી હતી.

1400 વર્ષ જૂનો ગઢ જાળવણીના અભાવે બન્યો જર્જરીત

સૌરાષ્ટ્રને એકમાત્ર રાજાશાહી સમયનો સુરક્ષિત ગણાતો ગઢ પણ તંત્રની બેદરકારીના કારણે ધબાય નમ: થયો છે. ગઢ ધરાશાયી થતા નજીકના કેબિનધારકને પણ નુકસાન થયુ છે. હાલ નગરપાલિકાના અધિકારીઓએ વઢવાણમાં ધામા નાખ્યા છે અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખે સર્વેની કામગીરી હાથ ધરી છે. ગઢ પર દબાણકર્તાઓને નોટિસ આપી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

Input Credit- Sajid Belim- Surendra Nagar

માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article