Ahmedabad: કેનેડામાં સુખ્ખા દુનાકેની હત્યાનો મામલો, લોરેન્સ બિશ્નોઈના વકીલનો મોટો ખુલાસો, કહ્યુ-તેની કોઈ જ ભૂમિકા નહીં, જુઓ Video

|

Sep 22, 2023 | 6:12 PM

લોરેન્સ બિશ્નોઈના વકીલનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેના વકીલે કહ્યુ છે કે, લોરેન્સ બિશ્નોઈ હાઈસિક્યુરીટીમાં જેલમાં બંધ છે. જે પ્રકારે સોશિયલ મીડિયામાં લોરેન્સને લઈ જે ચર્ચા શરુ થઈ હતી, તેમાં દુનાકેની હત્યામાં લોરેન્સની ભૂમિકા છે. તેમના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે કહ્યુ કે, આવા આક્ષેપો ખોટા છે, સુખ્ખા દુનાકેની હત્યામાં કોઈ જ ભૂમિકા નથી.

લોરેન્સ બિશ્નોઈના વકીલનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેના વકીલે કહ્યુ છે કે, લોરેન્સ બિશ્નોઈ હાઈસિક્યુરીટીમાં જેલમાં બંધ છે. જે પ્રકારે સોશિયલ મીડિયામાં લોરેન્સને લઈ જે ચર્ચા શરુ થઈ હતી, તેમાં દુનાકેની હત્યામાં લોરેન્સની ભૂમિકા છે. તેમના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે કહ્યુ કે, આવા આક્ષેપો ખોટા છે, સુખ્ખા દુનાકેની હત્યામાં કોઈ જ ભૂમિકા નથી. આગળ પણ કહ્યુ હતુ કે, જે રીતે તેનુ ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યુ છે એ બીલકુલ ખોટી વાત છે. તે જો આવી સ્થિતિમાં તે ફેસબુક ઉપયોગ કરતો હોય તો, જેલ સત્તાવાળા શુ કરી રહ્યા છે. તેઓ કંઈ પ્રોવાઈડ કરે છે કે કોઈ સંદિગ્ધ મળવા આવે છે આવા આક્ષેપો થઈ રહ્યા છે એમાં પ્રતિઆક્ષેપો જેલ સત્તાવાળાઓેને ઘેરી લે છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો

કેનેડામાં સુખ્ખા દુનાકેની હત્યા થઈ હતી અને જેને લઈ સોશિયલ મીડિયામાં લોરેન્સ બિશ્નોઈનુ નામ ચર્ચામાં આવ્યુ હતુ. સોશિયલ મીડિયામાં લોરેન્સના નામે 150 થી વધારે ફેસબુક એકાઉન્ટ છે. લોરેન્સના વકીલે કહ્યુ છે, દુનાકેની હત્યામાં લોરેન્સની કોઈ જ ભૂમિુકા નથી. હું તેનો વકીલ છું. મને પણ તેને મળવા દેવામાં નથી આવતો આમ આવી વાત ખોટી છે. અધિકારીઓએ જ આ મામલે હવે ખુલાસો કરવો જોઈએ.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 5:00 pm, Fri, 22 September 23

Next Video