હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારો, ખંભાતમાં અથડામણની સ્થિતિ કાબુમાં

|

Apr 10, 2022 | 6:13 PM

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો.

સાબરકાંઠા : હિંમતનગરમાં (Himmatnagar) રામનવમીની (Ram Navmi) ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી. રામનવમી નિમિતે હિંમતનગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન બે જૂથ વચ્ચે (Stoned)પથ્થરમારો થયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના 5 શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી.

ખંભાતમાં અથડામણ બાદ શાંતિનો માહોલ

તો બીજી તરફ આણંદમાં પણ આવી ઘટના બની હતી. આણંદ જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.

આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેસ્ટ ટુ વેલ્થ કાર્યક્રમ અંતર્ગત ગોબરધન યોજનાનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો :Panchmahal: ગોધરાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ, પાંચની ધરપકડ

Published On - 6:10 pm, Sun, 10 April 22

Next Video