Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચવું બનશે વધુ સરળ, નેશનલ હાઇવે પર એરપોર્ટ નજીક એસ.ટી બસોને અપાયું સ્ટોપેજ

રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચવું બનશે વધુ સરળ, નેશનલ હાઇવે પર એરપોર્ટ નજીક એસ.ટી બસોને અપાયું સ્ટોપેજ

Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 17, 2023 | 5:52 PM

આ નિર્ણય અંતર્ગત હવે રાજકોટ આવતી-જતી આશરે 425 કરતા વધુ બસો હિરાસર એરપોર્ટ પર સ્ટેન્ડ કરશે. જેના કારણે એરપોર્ટ જવા ઇચ્છતા મુસાફરો સરળતાથી પહોંચી શકશે. આ નિર્ણય અંતર્ગત વોલ્વો અને સ્લિપર સહિત તમામ બસો સ્ટેન્ડ કરશે.

રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચવું હવે વધુ સરળ બનશે. રાજકોટ એસ.ટી વિભાગે મુસાફરોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે હવે રાજકોટથી અમદાવાદ જતી અને રાજકોટ આવતી તમામ બસોને નેશનલ હાઇવે પર એરપોર્ટ નજીક સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

આ નિર્ણય અંતર્ગત હવે રાજકોટ આવતી-જતી આશરે 425 કરતા વધુ બસો હિરાસર એરપોર્ટ પર સ્ટેન્ડ કરશે. જેના કારણે એરપોર્ટ જવા ઇચ્છતા મુસાફરો સરળતાથી પહોંચી શકશે. આ નિર્ણય અંતર્ગત વોલ્વો અને સ્લિપર સહિત તમામ બસો સ્ટેન્ડ કરશે. ST વિભાગના અધિકારીઓનો દાવો છે કે આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ થશે.

આ પણ વાંચો રાજકોટ વીડિયો : રસ્તા પર ઓઈલ ઢોળાતા બાઈક ચાલકો લપસ્યા, પાણીનો છંટકાવ કરી સાફ કરાયો રસ્તો

જો કે, એસ.ટી દ્વારા હિરાસર એરપોર્ટ નજીક ઉતર્યા બાદ એરપોર્ટ ટર્મિનલ સુધી પહોંચવા માટે મુસાફરોએ 8 કિમીનું અંતર કાપવું પડશે એટલે કે આ 8 કિમી અંતર કાપવા માટે મુસાફરોને વધુ એક વાહનનો સહારો લેવો પડશે. જેના માટે અત્યાર સુધી કોઇ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી મુસાફરોને 8 કિમી અંતરના વધારાનો ખર્ચ વેઠવો પડશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">