Ahmedabad : નિવૃત IPS ને બદનામ કરવાના કેસમાં ખુલાસો,ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા કાવતરાના મુખ્ય સુત્રધાર !

|

Feb 13, 2023 | 11:53 AM

ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા અને બે પત્રકારોએ મળીને નિવૃત IPS ને બદનામ કરવા કાવતરુ રચવામાં આવ્યુ હતુ.

અમદાવાદમાં નિવૃત IPS ને બદનામ કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે,ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા કાવતરાના મુખ્ય સુત્રધાર હોવાનુ સામે આવ્યુ છે. હાલ ગુજરાત ATS એ પાંચ આરોપીની ધરપકડ કરી છે.જેમાં પાંચ પૈકી બે આરોપી પત્રકાર છે. જેઓએ પૈસા પડાવવા નિવૃત આઇપીએસ બદનામ કરવાનો કારસો રચ્યો હતો. એટલુ જ નહીં નિવૃત IPS નામે ખોટી એફિડેવિડ વાયરલ કરી હતી.

તો આ કાવતરામાં મુખ્ય સુત્રધાર ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા ગાંડાભાઈ પરમારે બે પત્રકારો સાથે મળીને આ સમગ્ર કારસો રચ્યો હતો. આપને જણાવી દઈએ કે, એક મહિના પહેલા જ દુષ્કર્મનું ખોટુ સોગંદનામુ બનાવી બે પત્રકારો કાર્તિક જાની અને આશુતોષે પાંચ લાખ રૂપિયાની માગ કરી હતી. જો કે ગુજરાત ATS એ તપાસ કરતા હવે આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે.

Published On - 11:36 am, Mon, 13 February 23

Next Video