અમદાવાદમાં નિવૃત IPS ને બદનામ કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે,ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા કાવતરાના મુખ્ય સુત્રધાર હોવાનુ સામે આવ્યુ છે. હાલ ગુજરાત ATS એ પાંચ આરોપીની ધરપકડ કરી છે.જેમાં પાંચ પૈકી બે આરોપી પત્રકાર છે. જેઓએ પૈસા પડાવવા નિવૃત આઇપીએસ બદનામ કરવાનો કારસો રચ્યો હતો. એટલુ જ નહીં નિવૃત IPS નામે ખોટી એફિડેવિડ વાયરલ કરી હતી.
તો આ કાવતરામાં મુખ્ય સુત્રધાર ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા ગાંડાભાઈ પરમારે બે પત્રકારો સાથે મળીને આ સમગ્ર કારસો રચ્યો હતો. આપને જણાવી દઈએ કે, એક મહિના પહેલા જ દુષ્કર્મનું ખોટુ સોગંદનામુ બનાવી બે પત્રકારો કાર્તિક જાની અને આશુતોષે પાંચ લાખ રૂપિયાની માગ કરી હતી. જો કે ગુજરાત ATS એ તપાસ કરતા હવે આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે.
Published On - 11:36 am, Mon, 13 February 23