અરવિંદ કેજરીવાલ સામે દેશની પોલીસ સાથે ગેરવર્તણુક કરતા હોવાનો આરોપ, 30 નિવૃત IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

Retired IPS Officers: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સામે 30 જેટલા નિવૃત IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. આ પત્રમાં અરવિંદ કેજરીવાલ દેશની પોલીસ સાથે ગેર વર્તણુક કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 8:54 PM

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિરુદ્ધ 30 નિવૃત IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલ દેશની પોલીસ (Police) સાથે ગેરવર્તણુક કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. અમદાવાદમાં રિક્ષા સવારી દરમિયાન પોલીસ અધિકારી સાથે કરેલી ગેરવર્તણુકનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધિકારીએ સલામતી આપવા સામે કેજરીવાલે દુ:ખદાયક શબ્દો ઉચ્ચાર્યા હોવાનો નિવૃત IPS અધિકારીએ આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ સલામતીનો મુદ્દો ઉઠાવ્યો છે સાથોસાથ અમદાવાદમાં રિક્ષામાં સવારી દરમિયાન પોલીસકર્મી સાથેની વાતચીતનો જે વીડિયો સામે આવ્યો હતો એ ઘટનાનો ઉલ્લેખ પણ નિવૃત અધિકારીઓએ પોતાના પત્રમાં કર્યો છે.

કેજરીવાલની અમદાવાદની મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ સાથેની ગેરવર્ણતુકને લઈને દેશના 30થી વધુ પૂર્વ આઈપીએસ અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. પત્રમાં આરોપ લગાવ્યો છે કે, માત્ર રાજકીય પ્રસિદ્ધિ મેળવવા કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણુક કર્યા છે. કેજરીવાલના વ્યવહારથી પોલીસ વિભાગમાં દુઃખની લાગણી હોવાની પણ રજૂઆત કરી હતી. પૂર્વ અધિકારીઓનું આ જૂથ પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ એક્ટિવ હતું. આ પહેલા પણ દેશના 56 પૂર્વ સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી.આ પૂર્વ અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલે સરકારી અધિકારીઓને કથિત રીતે આમ આદમી પાર્ટીના પક્ષમાં કામ કરવા માટે ઉકસાવ્યા જેથી કરીને ચૂંટણીમાં પાર્ટીને જીત મળી શકે.

અરવિંદ કેજરીવાલ પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણુક કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ

જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ.પી. વૈધએ જણાવ્યુ કે આ પત્રમાં જણાવ્યુ છે કે કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી અગર ક્યાંય જઈ રહ્યા હોય તો પોલીસની એક જવાબદારી રહે છે કે તેમની સિક્યોરિટી સુનિશ્ચિત કરવાની. પોલીસવાળા તેમના પ્રોટોકોલ મુજબ તેમનુ કામ કરતા હોય છે આથી તેમની સાથે કોઈ પણ ગેરવર્તણુક ન કરી શકે. ચાહે તે કોન્સ્ટેબલ હોય કે સિનિયર અધિકારી હોય તે માત્ર પ્રોટોકોલ અનુસાર તેનુ કામ કરતા હોય છે. તેને રાજકીય રંગ ન આપવો જોઈએ. આપને જણાવી દઈએ કે કેજરીવાલ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ રિક્ષાચાલકના ઘરે તેની જ રિક્ષામાં બેસીને ભોજન લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીએ પૂછપરછ કરતા અરવિંદ કેજરીવાલ અકળાઈ ગયા હતા.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

બીજી તરફ ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ગુજરાતના સરકારી કર્મચારીઓને અંદરખાને ‘AAP’નો પ્રચાર કરવા અપીલ કરી છે..વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું, વિધાનસભા ચૂંટણીમાં AAPને જીત મળી શકે છે તે માટે તમામ સરકારી કર્મચારીઓ પ્રચાર કરે..

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">