Saurashtra: ભારે વરસાદની યાતાયાત પર અસર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આટલી ST બસોના રૂટ કેન્સલ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ગામ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અને તેની સીધી અસર એસટી બસની સેવાઓને પહોંચી છે. ચાલો જાણીએ વિગત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 7:32 PM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ છે. આની અસર સામાન્ય જનજીવન પર ખુબ પડી છે. ઘર, ખેતર અને માર્ગમાં પાણી ફરી વળ્યા છે. ઘણા વિસ્તારો પાણીમાં ઘરકાવ છે. વરસાદના કારણે એસટી બસના રૂટને અસર પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં 20 જેટલા રૂટની 40 જેટલી ટ્રીપ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને પગલે અગાઉ પણ 55 રૂટની ટ્રીપ બંધ કરવામાં આવી હતી. જોકે, વરસાદના પાણી ઓસરતા કેટલાક રૂટો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. વરસાદને પગલે એસટી બસ ડેપોને કોઈ નુકસાન ન પહોંચ્યાની પણ માહિતી સામે આવી રહી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ગામ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અને તેની સીધી અસર એસટી બસની સેવાઓને પહોંચી છે. ઉપલેટા એસટી વિભાગે કુલ 56 જેટલા રૂટને સંપૂર્ણ બંધ રાખ્યા છે. બીજા દિવસે પણ આ 56 રૂટ સંપૂર્ણ બંધ રહ્યા છે. ભારે વરસાદને કારણે એસટી બસના રૂટમાં વચ્ચે આવતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. ક્યાંક પૂલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેના પગલે હાલ રૂટ બંધ રાખવાનો ઉપલેટા એસટી વિભાગે નિર્ણય કર્યો છે.

જાહેર છે કે આવી પરિસ્થતિમાં યાતાયાત જોખમી નીવળી શકે છે. ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે તો ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. ક્યાંક પૂલને પણ નુકસાન પહોંચ્યાના અહેવાલ પણ આવ્યા છે. આવામાં અસર બસના રૂટ પર પણ જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: Rajkot: વર્ષોથી તૂટેલી હાલતમાં કોઝ-વે, ધોધમાર વરસાદમાં જીવના જોખમે પસાર થાય છે લોકો, જુઓ Video

આ પણ વાંચો: Gir Somnath: કુદરતની કેવી કળા? એક તરફ તારાજી તો બીજી તરફ અહ્લાદક બન્યો જમજીર ધોધ, જુઓ Video

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">