બનાસકાંઠા જિલ્લાના ઈકબાલ ગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં અનેક સ્થળો પરથી મિઠાઈમાં ભેળસેળની આશંકાએ તંત્રએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી. હજુ વધુ સ્થળો પરથી મિઠાઈ ભેળસેળ સાથે તૈયાર કરાયાની આશંકાએ તપાસ કરવામાં આવી હતી. ઈકબાલ ગઢ વિસ્તારમાં પણ આવી જ રીતે 5 દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
પાંચ જેટલી દુકાનોમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીની હલકી ગુણવત્તા તેમજ અન્ય ચિજોમાં પણ નબળી ગુણવત્તાના સામાનનો ઉપયોગ કરીને મિઠાઈ તૈયાર કરવામાં આવી હોઈ શકે એવી આશંકાએ તપાસ હાથ ધરાઈ હતી.
Published On - 11:27 am, Sat, 11 November 23