Sabarkantha: હિંમતનગરને દિવાળીના તહેવારોમાં સ્વચ્છ રાખવા અનોખુ આયોજન, 5000 ડસ્ટબીન મુકાશે, જુઓ Video

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને મહા અભિયાન ચલાવાઈ રહ્યુ છે. આ દરમિયાન હિંમતનગર શહેરમાં દિવાળીના તહેવારોમાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે તમામ વેપારીઓને 15 લીટરની સાઈઝના ડસ્ટબીન આપવામાં આવશે. સ્વચ્છતા જળવાઈ રહે એ માટે થઈને વેપારીઓને અપીલ કરવામાં આવી છે અને શહેરને ચોખ્ખુ રાખવા માટે સમજાવવામાં આવ્યા છે.

| Updated on: Oct 13, 2023 | 6:36 PM

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને મહા અભિયાન ચલાવાઈ રહ્યુ છે. આ દરમિયાન હિંમતનગર શહેરમાં દિવાળીના તહેવારોમાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે તમામ વેપારીઓને 15 લીટરની સાઈઝના ડસ્ટબીન આપવામાં આવશે. સ્વચ્છતા જળવાઈ રહે એ માટે થઈને વેપારીઓને અપીલ કરવામાં આવી છે અને શહેરને ચોખ્ખુ રાખવા માટે સમજાવવામાં આવ્યા છે. આ પહેલ તાજેતરમાં ભાદરવી પૂનમે લક્ષદ્વીપ અને દીવ દમણના પ્રશાસકે હિંમતનગરની મુલાકાત દરમિયાન શરુ કરાવી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: ખેડબ્રહ્માના અંબાજી મંદિરમા ભક્તોએ દાનપેટી છલકાવી દીધી, થઈ અધધ..આવક, જુઓ Video

પ્રશાસક પ્રફુલ પટેલે આ માટે 5000 ડસ્ટબીન દમણથી સ્વચ્છતા માટે ભેટ નગર પાલિકા માટે મોકલવાની વાત કહી હતી અને એ મુજબ ટ્રકો ભરીને ડસ્ટબીન હિંમતનગર આવી પહોંચ્યા હતા. તેઓએ શહેરમાં નાના મોટા તમામ વેપારીઓ અને રેસ્ટોરંટમાં અને પાર્લરમાં ડસ્ટબીન ફરજીયાત મુકવા માટેની સૂચના આપી છે. તેમાં જમા થયેલ કચરો કલેક્ટ કરવા માટે પણ યોગ્ય નેટવર્ક અને વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેથી દિવાળીના તહેવારોમાં સ્વચ્છ શહેર બની રહે. આ માટે શહેરને 500 ટ્રકો કચરો નિકાળીને સાફ કરવામાં આવ્યુ છે.

ડસ્ટબીન આવી પહોંચતા હિંમતનગરના ધારાસભ્ય અને પૂર્વ કાયદાપ્રધાન વિનેન્દ્રસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ, કોર્પોર્ટેરટરો સહિત શહેરના અગ્રણીઓ ડસ્ટબીનની ટ્રકોને આવકારવા માટે પાલિકા પહોંચ્યા હતા અને દમણ પ્રશાસકનો આભાર શહેર વતીથી માન્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">