Rajkot: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ, ‘જનસંઘથી ભાજપ’ કાર્યક્રમ થયો રદ

Rajkot: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે. આંતરિક વિવાદના કારણે જનસંઘથી ભાજપ કાર્યક્રમ રદ કરવાની નોબત આવી પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 9:53 AM

Rajkot: રાજકોટમાં ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો (CR Paatil) 20 નવેમ્બરે આયોજીત ‘જનસંઘથી ભાજપ’ કાર્યક્રમ રદ કરાયો છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે આ આયોજન કર્યું હતું. આ પત્રિકામાં પૂર્વ CM વિજય રૂપાણીનું (Vijay Rupani) નામ ન લખવાને લઈ વિવાદ થયો હતો.

જો કે સી.આર. પાટીલના બ્રહ્મ સમાજ અને ઉદ્યોગપતિ સાથેનો સંવાદ કાર્યક્રમ યથાવત્ રખાયો છે. બ્રહ્મ સમાજની પત્રિકામાં પણ પૂર્વ CM વિજય રૂપાણી (Vijay Rupani) અને નિતીન ભારદ્વાજનું નામ બાકાત રખાયું છે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયા પક્ષના જૂના જોગીઓને સાથે રાખીને શહેર ભાજપમાં નવું જૂથ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જયારે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ત્યારે વિજય રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ વાતચીત કરી રહ્યાં હતા. આ દરમિયાન રામ મોકરીયા પણ ત્યાં પહોચ્યાં હતાં, જો કે વિજય રૂપાણીએ રામ મોકરીયાને બેસી જવાનું કહ્યું હતું.

આ અંગે રામ મોકરીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે વિજય રૂપાણી ગોવિદ પટેલને પૂછી રહ્યાં હતા કે પત્રિકાનો વિવાદ શું હતો. ત્યારે રામ મોકરીયા ત્યાં પહોચ્યાં તો વિજય રૂપાણીએ કહ્યું કે તમે આ મામલે દખલ ન કરો. રામ મોકરીયાએ કહ્યું કે ગોવિંદ પટેલ સિનિયર આગેવાન છે અને તેમનું માન જળવાવવું જોઈએ.

 

આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં આજથી માવઠાની આગાહી, નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું

આ પણ વાંચો: કાંકરિયા ધર્માંતરણ કેસમાં ફંડિંગ કરનાર હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વિડીયો સામે આવ્યો, ધર્માંતરણના બદલામાં લાલચ આપતો નજરે પડયો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">