Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Video: નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થતા કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર, 2 કલાકમાં 24,291 ક્યુસેક પાણીનો ઘટાડો

Rain Video: નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થતા કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર, 2 કલાકમાં 24,291 ક્યુસેક પાણીનો ઘટાડો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 11:37 PM

Narmada: નર્મદા ડેમ ઓવરફ્લો થતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નાંદોદ, વસંતપુરા સહિત અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પાણીમાં ફસાયેલા લોકોનુ રેસક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નર્મદાના કાંઠાવાસીઓ માટે રાહતના સમાચાર છે. ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે થી 138.50 મીટર થઈ છે. 2 કલાકમાં 24,291 ક્યુસેકનો ઘટાડો થયો છે.

Narmada: નર્મદા ડેમના કાંઠાવિસ્તારના લોકો માટે રાહતજનક સમાચાર સામે આવ્યા છે. ડેમની સપાટી 138.68 મીટરથી 138.50 મીટર થઈ છે. 2 કલાકમાં 24,291 ક્યુસેકનો ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમ છલોછલ થતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નાંદોદ, વસંતપુરા સહિત અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પાણીમાં ફસાયેલા લોકોને રેસક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ રિવરબેટ પાવરહાઉસમાંથી કુલ 1856106 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. RBPH ના 6 ટર્બાઇન અને CHPH ના 5 ટર્બાઇન દ્વારા વીજઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામ ખાતે વાયબ્રન્ટ સ્કૂલમા વિદ્યાર્થીઓ ફસાયા હતા. 60 થી 70 વિદ્યાર્થીઓ પાણી ભરાવાના કારણે ફસાયા હતા. ગોધરા SDRF ની ત્રણ ટુકડીઓ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. રામાનંદ આશ્રમમાં સાધુ સંતો સહિત ભક્તો પાણીમાં ફસાયા હતા.

 

આ પણ વાંચો: Monsoon 2023: બાયડમાં વરસાદી પાણી કોઝવે પર 3 ફુટ ફરી વળ્યા, 50 ગામોને હાલાકી, જુઓ Video

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">