ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મેઇન બજારમાં જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યાનું સામે આવ્યું. નશામાં ધુત લોકો અને દારૂનું વેચાણ કરનારાઓ વચ્ચે પણ મારામારીની થઇ હતી. આ અસામાજીક તત્વોથી મંદિરે આવતા શ્રદ્ધાળુંઓ સહિત સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને હેરાનગતિ થઇ રહી છે.
જાહેર રસ્તા પર બબાલ બાદ પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. પોલીસે રસ્તા પરથી દેશી દારૂની પોટલીઓ ભરેલા કોથળા કબજે કર્યા. હાલ અંબાજી પોલીસનું સ્થળ પર સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે. અંબાજી પોલીસે મેઈન બજારમાં વોચ ગોઠવી છે. પોલીસે દારુને લઈ હવે એક્શનમાં આવીને કાર્યવાહી પણ શરુ કરી છે અને દારુ પીધેલા અને વેચનારાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Published On - 4:29 pm, Sat, 2 March 24