રાષ્ટ્રપતિ કોવિંદ 3 દિવસના ગુજરાત પ્રવાસે: PM આવાસ યોજનામાં બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે, જાણો વિગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:15 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે કે શુક્રવારે ભાવનગરની એક દિવસીય મુલાકાતે છે. તેઓ ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મહામહિમના પ્રવાસને લઈ પોલીસ અને સરકારી તંત્ર દ્વારા તડામાર વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે અને 30 ઓક્ટોબર સુધી અહીંયા જ રહેશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે સાંજે ‘હાઈ ટી’ કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગર જશે. ત્યાં જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને ભાવનગરમાં પણ તૈયારીઓ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે 10 કલાકે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા બાદ હેલિકોપ્ટરથી મહુવા જશે. મહુવામાં કથાકાર મોરારીબાપુ સાથે તેઓ મુલાકાત અને ભોજન કરશે. જે બાદ સાંજે પોણા પાંચ કલાકે સુભાષનગર ખાતે PM આવાસ યોજના હેઠળ બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે. આ આવાસોનું 63 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને  તારીખ 30 મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.

 

આ પણ વાંચો: Pakistan ની જીતની ઉજવણી કરનારાની ખેર નહીં, દેશદ્રોહનો ચાલશે કેસ, યોગી સરકારનો કડક નિર્ણય

આ પણ વાંચો: ગ્રેડ પે મામલે નિવૃત્ત DYSP ના ગંભીર આક્ષેપો, ‘સીનિયર અધિકારીઓને ટેનિસ રમવા લાખો રૂપિયાનો ખર્ચ’

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">