Ahmedabad: શરદી અને ઉધરસના કેસ વધ્યા, કોરોના ટેસ્ટ કરાવવા ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઈનો લાગી

|

Jan 17, 2022 | 2:09 PM

ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3,264 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં કોરોના (Corona) વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ 10 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈન (Guideline)નું પાલન કરવા જણાવાઈ રહ્યું છે. જોકે અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં લોકો ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા. જેના કારણે આગામી દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવવાની સંભાવના છે.

ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાઈનો

અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીના પછીના દિવસોમાં કોરોના ટેસ્ટિંગ ડોમ (Testing Dome) પર લાઈનો જોવા મળે છે. આખો દિવસ ટેસ્ટિંગ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. જોકે તેમાંથી કેટલા લોકોના ટેસ્ટ પોઝિટીવ (Positive) આવ્યા તે તો સાંજે આરોગ્ય વિભાગ આંકડા જાહેર કરે ત્યારે ખ્યાલ આવશે પણ કેસ વધશે તેવી પુરતી સંભાવના છે.

લોકો એમ કહી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને તેવામાં શરદી અને ઉધરસના કેસ પણ વધી રહ્યા છે, દવાખાનાઓની બહાર પણ લોકોની લાંબી લાઈનો જોવા મળતી હોય છે. ત્યારે આ લક્ષણો કોરોનાના પણ હોઈ શકે તેમ માનીને લોકો કોરોના ટેસ્ટ કરવા પહોંચી રહ્યા છે.

કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં

મહત્વનું છે કે ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3,264 નવા કેસ, જ્યારે સુરતમાં 2,464 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 63,610 પર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વધતા રાજ્યના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે થયા બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

આ પણ વાંચોઃ Surat Corona Update : સુરતમાં કોરોના બેફામ, 10 જ દિવસમાં કેસની સંખ્યા 10 ગણી વધી

Next Video