અમદાવાદમાં જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે પાણી ભરેલા ભુવામાં ખાબક્યો રાહદારી- જુઓ Video

Ahmedabad: સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા કેટલા સલામત છે તે અહીં વીડિયોમાં જોઈ શકાય છે. જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે પાણી ભરેલા ભુવામાં એક માણસ ચાલતા ચાલતા ગરકાવ થઈ ગયો. તંત્ર દ્નારા ભુવા ફરતે કોઈ બેરકેડિંગ ન કરાયુ હોવાથી પાણી ભરેલા રસ્તા પર કોઈને પણ ખબર ન પડે કે અહીં ભુવો હશે. ત્યારે તંત્રની નીંભર નીતિનો ભોગ નાગરિકો બની રહ્યા છે.

Mihir Soni
| Edited By: | Updated on: Jul 09, 2023 | 11:43 PM

વાહનચાલક હોય કે રાહદારી, ચોમાસામાં અમદાવાદના રસ્તા સલામત નથી. તેનો બોલતો પુરાવો અમદાવાદના જમાલપુર વિસ્તારથી સામે આવ્યો છે. જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે એક રાહદારી ભુવામાં ગરકાવ થઈ ગયો. 7 જુલાઈએ ઘટેલી ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રાહદારી કેવી રીતે ભુવામાં પડી જાય છે. ભૂવાનું સમારકામની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ વરસાદ પડતાં કામ બંધ હતું.

પાણી ભરેલા ભુવામાં ખાબક્યો રાહદારી

ભુવામાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. વરસાદનું પાણી ભરાયેલું હોવાથી તેને ભુવો દેખાયો નહીં અને તે સીધો જ અંદર ગરકાવ થઈ ગયો. સદનસીબે તેને તરતાં આવડતું હોવાથી બચી ગયો. તેને બૂમાબૂમ કરતાં અન્ય લોકો પણ ત્યાં દોડી ગયા હતા અને તેને ભુવામાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. સમગ્ર ઘટનામાં કોર્પોરેશનની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે.

આ પણ વાંચો : Ahmedabad: વિશ્વઉમિયાધામ જાસપુર અને ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટીની મળી બેઠક, મા ઉમિયાના મંદિરનું કાર્ય વિશ્વભરમાં પહોંચાડવા લેવાયો સંકલ્પ

સમારકામ ચાલતું હોવા છતાં ભુવાની આસપાસ બેરિકેડિંગ કરવામાં નહોતું આવ્યું. જો બેરીકેડિંગ કરાયું હોત તો રાહદારી અન્ય સ્થળેથી પસાર થયો હતો અને આ ઘટના ટળી શકી હોત. સદનસીબે રાહદારીને કંઈ થયું નથી. જો તેને અન્ય કોઈને કશું થયું હોત તો તેના માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">