Rajkot : નેફ્રોલોજિસ્ટ તબીબોની હડતાળ યથાવત, આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન, જુઓ Video

|

Aug 15, 2023 | 7:43 PM

સરકાર અને ડૉક્ટરોની લડાઈમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નેફ્રોલોજીના તબીબો હવે ધારાસભ્યને રજૂઆત કરશે. ડાયાલિસિસ માટે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ દર્દીઓ આવે છે.

Rajkot : રાજકોટમાં સતત બીજા દિવસે નેફ્રોલોજિસ્ટ ડૉકટરોની (Nephrologist doctor) હડતાળ યથાવત રહી. રાજ્ય સરકારે ડાયાલિસીસના ઘટાડેલા ભાવને લઈ નેફ્રોલોજિસ્ટ તબીબોએ ત્રણ દિવસની હડતાળ શરુ કરી છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં PMJAY અંતર્ગત ડાયાલિસિસની સારવાર બંધ રહેતા સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો Gujarati Video : લો બોલો ! ચોરી પકડતા CCTV કેમેરાની જ ચોરી, રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પર લાગેલા CCTV કેમેરા ચોરાયા

સરકારે જાહેર કરેલા હેલ્પલાઈન નંબર પર દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં સુવિધા ઉભી કરાઈ હતી. સરકાર અને ડૉક્ટરોની લડાઈમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નેફ્રોલોજીના તબીબો હવે ધારાસભ્યને રજૂઆત કરશે. ડાયાલિસિસ માટે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ દર્દીઓ આવે છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video