નવસારી : દિવંગત કોંગી નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની આશાઓ પર ઇન્ડિયા ગઠબંધને પાણી ફેરવ્યા બાદ નારાજ મુમતાઝને રીઝવવા કોંગ્રેસ તેમને નવસારીથી ટિકિટ આપી શકે છે.
કોંગ્રેસ નવસારી બેઠક પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સામે મુરતિયાની પસંદગી કરી શકી નથી ત્યારે આ બેઠક પર આયાતી ઉમેદવાર તરીકે મુમતાઝ પટેલનું નામ ચર્ચામાં છે. આમતો સ્થાનિક નેતાઓ આયાતી ઉમેદવારના પક્ષમાં નથી પણ મોવડીઓ મુમતાઝના નામ પર મંજૂરીની મહોર મારે તો લડત માટે એડી ચોટીનું જોર લગાડવાની તૈયારી પણ બતાવી રહ્યા છે.
નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે મુમતાઝ પટેલને ટિકિટ મળશે તો પણ કોંગ્રેસના કાર્યકરો એકજૂથ થઇ તેમની જીત માટે મહેનત કરશે .
Published On - 8:26 am, Wed, 20 March 24