Navsari: ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ, 50 હજાર લોકો પૂરથી પ્રભાવિત બન્યા

નવસારી અને જલાલપોર ભારે વરસાદ પડ્યો છે. તો ખેરગામમાં ધોધમાર 9 ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી વધતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 9:09 AM

Navsari: નવસારી અને જલાલપોર ભારે વરસાદ પડ્યો છે. તો ખેરગામમાં ધોધમાર 9 ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી વધતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. જેમાં 150 ઘર પાણીમાં ગરકાવ થતા લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. નવસારી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 50 હજારથી વધારે લોકો પૂરની સ્થિતિના કારણે પ્રભાવિત થયા છે. નવસારીની પૂર્ણા નદીમાં જળસ્તર વધતા સ્વપ્નલોક સોસાયટીમાં પાણી ભરાયા હતા. નવસારીના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ચાર દિવસથી ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. નવસારીના વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ઉનાઈના મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે. વાંસદા તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે.

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તારીખ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન અમરેલીમાં આજે પણ ભારે વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર આવ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ પડતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ધંધાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">