Ahmedabad: આજે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક યોજાશે, સંઘ પ્રમુખ મોહન ભાગવત રહેશે ઉપસ્થિત

|

Mar 11, 2022 | 9:31 AM

આ પહેલા સંઘના કાર્યકરો સહિત સંગઠનોને જિલ્લા સ્તરે યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતુ. હવે આ બેઠકમાં આ વિષય પર પણ વિચાર કરવામાં આવશે. જેમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર, તમિલનાડુ અને પર્વતીય વિસ્તારોમાં વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે.

અમદાવાદ ખાતે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાશે. પીરાણા આશ્રમ ખાતે આજથી 13 માર્ચ એમ ત્રિદિવસીય સભાનું (three-day meeting)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSSના સર સંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat)સહિત દત્તાત્રેય હૉસબોલે અને અખિલ ભારતીય કાર્યકારિણી મંડળ હાજર રહેશે.

5 રાજ્યની ચૂંટણીના પરિણામ બાદ અમદાવાદના પીરાણા આશ્રમમાં આ બેઠક યોજાવાની હોવાથી તેને મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ પર ચર્ચા થઈ શકે છે, તો 11થી 12 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી પણ આ બેઠકમાં સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે.

RSSના નિર્ણય લેવાની દૃષ્ટિએ બેઠક મહત્વપૂર્ણ

આ બેઠક RSSના નિર્ણય (RSS Party) લેવાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં આગામી વર્ષો માટેની વિવિધ યોજનાઓ અને નિર્ણયોને પણ આખરી ઓપ આપવામાં આવશે. જેમાં RSSના તમામ પદાધિકારીઓ ભાગ લે તેવી શક્યતા છે. અલગ અલગ પ્રાંતના સંઘચાલક, પ્રાંત પ્રચારક સહિત અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. બેઠકમાં ગત વર્ષની પ્રવૃતિઓનો અહેવાલ, સંઘની આગામી વર્ષની કાર્ય વિસ્તરણ યોજના, સંઘ શિક્ષણ વર્ગ અને સંબંધિત વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

વિગતવાર ચર્ચા થશે

આ પહેલા સંઘના કાર્યકરો સહિત સંગઠનોને જિલ્લા સ્તરે યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતુ. હવે આ બેઠકમાં આ વિષય પર પણ વિચાર કરવામાં આવશે. જેમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર, તમિલનાડુ અને પર્વતીય વિસ્તારોમાં વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચો-

રાજ્યમાં ફાયર સેફટીની અમલવારી મામલે સરકારે રજૂ કર્યુ સોગંદનામુ, આટલા એકમો ફાયર NOC વિનાના છે

આ પણ વાંચો-

Ahmedabad કોર્પોરેશનની એકમાત્ર હિન્દી શાળાની દયનીય સ્થિતિ, 107 વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષક માત્ર એક

Published On - 9:30 am, Fri, 11 March 22

Next Video