નર્મદા : AAP ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદએ ભાજપનો સમગ્ર આદિવાસી સમાજ પર હુમલો : અરવિંદ કેજરીવાલ
નર્મદા : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાની ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય ફરાર થઇ ગયા છે. ધારાસભ્યના સમર્થનમાં આજે ડેડીયાપાડા જડબેસલાક બંધ છે તો સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ચૌતરના સમર્થનમાં આવ્યા છે.
નર્મદા : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાની ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય ફરાર થઇ ગયા છે. ધારાસભ્યના સમર્થનમાં આજે ડેડીયાપાડા જડબેસલાક બંધ છે તો સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ચૈતરના સમર્થનમાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ચૈત્ર વસાવા સામેની કાર્યવાહીને સમગ્ર આદિવાસી સમાજ ઉપર ભાજપાનો હુમલો ગણાવ્યો હતો.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું
भाजपा ने कल “आप” के विधायक और आदिवासी समाज के बड़े नेता @Chaitar_Vasava के ख़िलाफ़ झूठा मुक़दमा किया। चैतर भाई की धर्मपत्नी तक को गिरफ़्तार कर लिया
भाजपा ने कभी आदिवासी को आगे नहीं आने दिया। सिर्फ़ उनका शोषण किया। “आप” ने आदिवासी समाज के बेटे को आगे बढ़ाया तो भाजपा को बर्दाश्त… https://t.co/OypVXQgR3M
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 4, 2023
ધારાસભ્યના પત્ની જ્યુડિશિયલ કસ્ટડીમાં, ધારાસભ્ય ફરાર
ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાની અને હવામાં ફાયરિંગ કરવાની ઘટના બાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બનાવ બાદ ધારાસભ્ય ફરાર છે જયારે તેમના પત્ની શકુંતલા વસાવા સહીત 3 લોકોની ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે. આજે ધારાસભ્યના સમર્થનમાં ડેડીયાપાડા બંધનું એના આપવામાં આવ્યું છે. ભાજપ બંધને નિષ્ફ્ળ જયારે આપ સફળ બનાવવા જોર લગાવી રહ્યું છે.
Input Credit : Vishal Pathak, Narmada
