નર્મદા : નીલકંઠ ધામ પોઇચા વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે, જુઓ વિડીયો

|

Jan 28, 2024 | 10:49 AM

નર્મદા : નર્મદા જિલ્લાના પોઇચા સ્થિત સ્વામિનારાયણ મંદિર વિશ્વી વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે.વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટનો ફૂલોનો હાર  સ્વામિનારાયણ મંદિરના ગુંબજને ચઢાવવામાં આવ્યો છે.

નર્મદા : નર્મદા જિલ્લાના પોઇચા સ્થિત સ્વામિનારાયણ મંદિર વિશ્વી વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે.વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટનો ફૂલોનો હાર  સ્વામિનારાયણ મંદિરના ગુંબજને ચઢાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પોઇચા ખાતે ભવ્ય મંદિર આવ્યું હતું. મંદિરનું સ્થાપત્ય, વિશાળ બગીચો, ભવ્ય શિલ્પો દરેકને મોહિત કરે છે. આ નવા ધાર્મિક સ્થળ પર અત્યાર સુધીમાં કરોડો લોકો આવી ચૂક્યા છે.

મંદિરની આસપાસ 40 લાખ લિટર પાણીથી બનેલું સરોવર છે. સ્વામિનારાયણ, ઘનશ્યામજી, નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાન, રાધાકૃષ્ણ દેવ, શિવલિંગ, ગણેશજી, હનુમાનજી, 24 અવતારી મંદિરો સહિત 32 નાના-મોટા મંદિરો આવેલા છે. મંદિરમાં 108 ગૌમુખી ગંગા નીચેથી વહેતી નર્મદા નદીના પાણીમાં સ્નાન કરતા ભક્તોનો ઉત્સાહ જોવા લાયક છે.

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video