Narmada Dam: નર્મદા ડેમના દરવાજા 17 દિવસ બાદ બંધ કરાયા, જાણો સરદાર સરોવરની જળસ્થિતિ, જુઓ Video

|

Oct 02, 2023 | 6:52 PM

Narmada Dam water level: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 138.06 મીટર પહોંચી છે. પાણીની આવક પણ હાલમાં નોંધાઈ રહી છે. જોકે હવે 17 દિવસ બાદ નર્મદા ડેમના દરવાજા બંઘ કરી દેવામાં આવ્યા છે. દરવાજા ફરીથી હાલમાં બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 56 હજાર ક્યુસેક આવક નોંધાઈ રહી છે. દરવાજા બંધ કરવામાં આવતા હવે જળસ્તરનો વધારો થઈ રહ્યો છે.

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 138.06 મીટર પહોંચી છે. પાણીની આવક પણ હાલમાં નોંધાઈ રહી છે. જોકે હવે 17 દિવસ બાદ નર્મદા ડેમના દરવાજા બંઘ કરી દેવામાં આવ્યા છે. દરવાજા ફરીથી હાલમાં બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 56 હજાર ક્યુસેક આવક નોંધાઈ રહી છે. દરવાજા બંધ કરવામાં આવતા હવે જળસ્તરનો વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Dharoi Dam: ચોમાસાની વિદાયની તૈયારીઓ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ જાણો, સંપૂર્ણ અપડેટ

RBPH માં થઈને પાણીની જાવક નદીમાં થઈ રહી છે. 42 હજાર ક્યુસેક પાણીની જાવક નદીમાં થઈ રહી છે. 17 દિવસથી સતત નદીમાં દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. નર્મદામાં તાજેતરમાં જ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નિચાળ વાળા વિસ્તારોમાં પણ નર્મદા નદીના પાણી ભરાઈ જવા પામ્યા હતા. જોકે હાલમાં ડેમ 98 ટકાની આસપાસ ભરાઈયેલ હોવાને લઈ મોટી રાહત સર્જાઈ છે. કેનાલમાં પણ હાલમાં 11 હજાર ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:52 pm, Mon, 2 October 23

Next Video