Narmada Dam: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, 137.96 મીટર નોંધાઈ સપાટી, જુઓ Video
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. સરદાર સરવાર ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. અગાઉ ભારે વરસાદ બાદ ડેમમાં વઘારે આવક થઈ હતી. જેને લઈ પાણી છોડવામાં આવ્યુ હતુ. 100 ટકા ડેમ ભરાયા બાદ પણ જળસ્તર ઘટાડવાને લઈ ડેમની સપાટી ઘટી હતી. પરંતુ હવે ફરીથી સતત ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે.
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. સરદાર સરવાર ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. અગાઉ ભારે વરસાદ બાદ ડેમમાં વઘારે આવક થઈ હતી. જેને લઈ પાણી છોડવામાં આવ્યુ હતુ. 100 ટકા ડેમ ભરાયા બાદ પણ જળસ્તર ઘટાડવાને લઈ ડેમની સપાટી ઘટી હતી. પરંતુ હવે ફરીથી સતત ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર બાયપાસ માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, અકસ્માતો સર્જાતા હોવાને લઈ સર્કલ બનાવવા કરી માંગ, જુઓ Video
ડેમમાંથી હાલમાં 2 લાખ 43 હજાર ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યુ છે. જેની સામે સરદાર સરદાર સરોવરમાં બપોરે 2 લાખ 61 હજાર ક્યુસેકની આવક નોંધાઈ હતી. સોમવારે મોડી સાંજે આ આવક ત્રણ લાખે પહોંચી હતી. આમ સતત પાણીની આવકને લઈ 97.42 ટકા સ્ટોરેજ રાત્રે 9 કલાકે નોંધાયુ હતુ. જ્યારે જળસપાટી 137.96 મીટર નોંધાઈ હતી.