ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની પ્રસંશા કરી, જાણો શું કહ્યું

નિરામય ગુજરાત (Niramay Gujarat)અભિયાનનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ ડ્રગ્સના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા અને પોલીસ વિભાગના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 3:57 PM

AHMEDABAD : રાજ્યમાં ટેક્નોલોજીની મદદથી ડ્રગ્સના કાળા કારોબારનો પોલીસ વિભાગ પર્દાફાશ કરી રહી છે, આ નિવેદન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ આપ્યું છે. નિરામય ગુજરાત (Niramay Gujarat)અભિયાનનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ ડ્રગ્સના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા અને પોલીસ વિભાગના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં મોરબી અને દેવભૂમિ દ્વારકાથી મોટી માત્રામાં અને કરોડોનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે.

2 દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું હતું. ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી છે. સાથે જ ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.

આ પહેલાં મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીને ઝડપ્યા છે. હાલ પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા છે.. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું.. જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.હેરોઈનના આ જથ્થા સાથે ગુજરાત ATSએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.. જેમાં સામે આવ્યું હતું કે આ હેરોઈન પંજાબ મોકલવાનું હતું.. જેથી પોલીસે પંજાબના પાંચ આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો : સિંહની પજવણીનો વાયરલ થયેલો વિડીયો જૂનાગઢના દેવળીયા આસપાસના વિસ્તારનો હોવાનું અનુમાન

આ પણ વાંચો : Farm Laws Withdrawn : સાંસદ રાકેશ સિન્હાએ PM મોદીને ગણાવ્યા ભગવાન, કહ્યું ‘રામની જેમ લોકહિતમાં લીધો આ નિર્ણય’

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">