રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ખેડાના કપડવંજના વડોલ ગામે હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. હડકાયા શ્વાને અત્યાર સુધી 40થી વધારે લોકોને બચકાં ભર્યા છે. કોઈકના મોં પર તો કોઈકના માથા પર શ્વાને હુમલા કર્યો છે. જેના કારણે અનેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો ખેડાના ગળતેશ્વરમાં જોખમી બ્રિજને કારણે લોકોમાં ભય છતા તંત્ર બેદરકાર, જુઓ વીડિયો
બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં રસી ન હોવાના કારણે ઈજાગ્રસ્તોને હાલાકી પડી રહી હોવાની ગ્રામજનોની રાવ છે. રસીનો જથ્થો ન હોવાથી ઈજાગ્રસ્તોને કપડવંજ તેમજ નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તો હિંસક બનેલા શ્વાને અન્ય દુધાળા પશુઓને પણ બચકાં ભર્યા હતા. ત્યારે હવે અન્ય શ્વાનના આતંકથી મુક્તિ મળે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.