મોરબીનો ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના, સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોને સત્વરે સારવાર માટે તંત્રને સૂચના આપી

મોરબીનો ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના, સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોને સત્વરે સારવાર માટે તંત્રને સૂચના આપી

| Edited By: | Updated on: Oct 30, 2022 | 8:08 PM

ગુજરાતના મોરબી ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. આ દરમ્યાન મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું.

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો  આ દરમ્યાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે,  મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

Published on: Oct 30, 2022 07:36 PM
Follow Us