ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓને સ્વાર્થી હોવાનું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગણાવ્યુ છે. તેઓએ કહ્યુ હતુ. ગેનીબેને કહ્યુ હતુ કે, સ્વાર્થી લોકો ભાજપમાં જોડાય છે. કોંગ્રેસનું પલ્લું ભારે થશે, ત્યારે તેઓ આ બાજુ આવશે એવુ નિવેદન પણ કર્યુ હતુ. સામ, દામ, દંડ અને ભેદની નીતિથી વશ થઈને ધારાસભ્ય અને આગેવાનો ભાજપમાં જોડાતા હોવાનું પણ ગણાવ્યુ હતુ.
કોંગ્રેસ છોડવા અંગેના સવાલને લઈ ગેનીબેન કહ્યુ હતુ, કે હું 20 વર્ષથી કહેતી આવી છું કે, હું કોંગ્રેસમાંજ રહેવાની છું. જીવીશ ત્યાં સુધી હું કોંગ્રેસમાં રહીશ એવું તેમણે ગણાવ્યુ હતુ. કોંગ્રેસમાં લાંબો સમય સુધી રહેવાનો રેકોર્ડ રહેશે. મંગળવારે કમલમ ખાતે અર્જૂન મોઢવાડીયા અને અંબરીષ ડેર ભાજપમાં સામેલમાં થયા છે.
Published On - 4:37 pm, Tue, 5 March 24