AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambalal Prediction:  રાજ્યમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, આગામી 27થી 29 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે, વાવાઝોડાની વ્યક્ત કરી સંભાવના 

Ambalal Prediction: રાજ્યમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, આગામી 27થી 29 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે, વાવાઝોડાની વ્યક્ત કરી સંભાવના 

Darshal Raval
| Edited By: | Updated on: Sep 21, 2023 | 6:51 PM
Share

Rain Updates: હવામાન નિષ્ણાંત અને આગાહીકાર  અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડુ આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ઼ બાજુ લો પ્રેશર બનશે. જે 12 ઓક્ટોબર સુધઈમાં વાવાઝોડાનું ભીષણ સ્વરૂપ લેશે. 

Weather Updates: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. જે પ્રેશર મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે. બાદમાં 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. જે વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું.

સાથે જ 2018 જેવું વાવાઝોડું બની શકે તેવી સંભાવના વ્યક્ત કરી. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય તેમ જણાવી. બંગાળનું ચક્રવાત પ્રતી કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા વ્યક્ત કરી.

આ પણ વાંચો: Breaking news :જૂનું સંસદ ભવન ભલે વિદેશીઓએ બનાવ્યું હતું પરંતુ પસીનો અને પૈસા દેશવાસીઓના હતા – PM Modi

વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. વાવાઝોડા ના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં અસર રહેશે. જયારે અરબસાગરમાં 21 સપ્ટેમ્બર થી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. જે ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની અસર શરુ થશે. અને મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડશે. તેમજ બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.

ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેવાનું જણાવી 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમા ઉભુ થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું તો બીજી તરફ સ્કાયમેટનું માનીએ તો, વાવાઝોડાની અસર ગુજરાત પર થાય તેવી હાલ કોઇ શક્યતા નથી..જો આ વાવાઝોડું ગુજરાત તરફ આવી જાય તો પણ તે ખુબ નબળું પડી જશે.. અને તેની અસર નહીંવત થઇ જશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 21, 2023 05:54 PM
g clip-path="url(#clip0_868_265)">