મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ થયા ગુમ, મહામંડલેશ્વર ભારતીબાપુના દેવલોક થયા બાદ ગાદી સંભાળી હતી

હરીહરાનંદ ભારતી બાપુની લિખિત ચીઠ્ઠી અને વીડિયો આવ્યા સામે છે. હરીહરાનંદ ભારતી બાપુનો વીડિયો ટીવીનાઈન પાસે છે. આ વીડિયોમાં બાપુએ ઘણા સમયથી ધમકીઓ મળતી હોવાની વાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 8:39 PM

રાજ્યમાં વધુ એક ધાર્મિક સ્થળનો વિવાદ બહાર આવ્યો છે. જૂનાગઢ (Junagadh) ભારતી આશ્રમ (Bharti Ashram) ના ગાદીપતિ હરીહરાનંદ ભારતી બાપુ (Hariharanand Bharti Bapu) આજે સવારથી ગુમ થઈ ગયા છે. જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ તેમણે ગાદી સંભાળી હતી. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી હરીહરાનંદ ભારતી બાપુ વ્યથિત હતી. આ કારણે તેઓ આશ્રમ છોડીને નીકળી ગયા છે. તેમનો કોઈ સંપર્ક થી શક્યો નથી. હરીહરાનંદ ભારતી બાપુની લિખિત ચીઠ્ઠી અને વીડિયો આવ્યા સામે છે. હરીહરાનંદ ભારતી બાપુનો વીડિયો ટીવીનાઈન પાસે છે. આ વીડિયોમાં બાપુએ ઘણા સમયથી ધમકીઓ મળતી હોવાની વાત કરી છે. આશ્રમના વીલમાં નામ હોવા છતાં કાવાદાવા થતાં હોવાનું પણ હરીહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું છે. વીડિયોમાં તેઓ જણાવે છે કે વીલ મારા નામે હોવા છતાં ખોટા વીલ બનાવાયા છે. મારા નામે ખોટી રીતે કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે આથી મેં કંટાળીને નીકળી જવાનો નિર્ણય લીધો છે.

ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનું સરખેજ આશ્રમમાં 11 એપ્રિલ 2021ના રોજ નિધન થયા બાદ મહંત હરિહરાનંદ બાપુ  ભારતી બાપુના નવા વારસદાર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતી બાપુના ગુજરાતમાં 5 આશ્રમ આવેલા છે, જુનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામાં આવી હતી. ત્યાર બાદ હરિહરાનંદ બાપુને વીધિવત રીતે ગાદી સાંપવામાં આવી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી સરખેજ આશ્રમને લઈને વિવાદ ચાલતો હતો જેના કારણે હરીહરાનંદ ભારતી બાપુ મુંજવણમાં હતા.

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">